માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ


SHARE











મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

 

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ ચંદ્રકુમાર ચૌધરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓ બાઈક પર કારખાનેથી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અજાણ્યું વાહન ઠોકરે લઈ ફરાર થઈ ગયું કે પછી બાઈક સ્લીપ થયું? તે અંગે પોલીસ તપાસ કરશે.

મળતી માહિતી મુજબ, ચંદ્રકુમાર મદનલાલ ચૌધરી (ઉંમર વર્ષ 40, રહે.ચોરડી ગામ, જિલ્લો મોરબી) ગત તા.28ના રાત્રે 9:30 વાગ્યાં આસપાસ પોતે નજર બાગ રેલવે સ્ટેશન પાસે રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ. તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવેલ. અહીં તા.30 ના રોજ રાત્રે તેનું મોત નીપજ્યું હતું.પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક ચંદ્રકુમાર કારખાનમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા, નોકરી પતાવી બાઈક ઘરે આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. તેઓ મૂળ બિહારના વતની હતા. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે, તેઓ પોતે 2 ભાઈ 2 બહેનમાં મોટા હતા. બનાવ બાઈક સ્લીપ થવાનો છે કે, કોઈ અજાણ્યા વાહનની ઠોકરે અકસ્માત થયો છે? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે




Latest News