ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ


SHARE











મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

 

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ ચંદ્રકુમાર ચૌધરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓ બાઈક પર કારખાનેથી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અજાણ્યું વાહન ઠોકરે લઈ ફરાર થઈ ગયું કે પછી બાઈક સ્લીપ થયું? તે અંગે પોલીસ તપાસ કરશે.

મળતી માહિતી મુજબ, ચંદ્રકુમાર મદનલાલ ચૌધરી (ઉંમર વર્ષ 40, રહે.ચોરડી ગામ, જિલ્લો મોરબી) ગત તા.28ના રાત્રે 9:30 વાગ્યાં આસપાસ પોતે નજર બાગ રેલવે સ્ટેશન પાસે રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ. તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવેલ. અહીં તા.30 ના રોજ રાત્રે તેનું મોત નીપજ્યું હતું.પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક ચંદ્રકુમાર કારખાનમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા, નોકરી પતાવી બાઈક ઘરે આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. તેઓ મૂળ બિહારના વતની હતા. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે, તેઓ પોતે 2 ભાઈ 2 બહેનમાં મોટા હતા. બનાવ બાઈક સ્લીપ થવાનો છે કે, કોઈ અજાણ્યા વાહનની ઠોકરે અકસ્માત થયો છે? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે






Latest News