મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ


SHARE











મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

 

મોરબીના રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત મળેલ ચંદ્રકુમાર ચૌધરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓ બાઈક પર કારખાનેથી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અજાણ્યું વાહન ઠોકરે લઈ ફરાર થઈ ગયું કે પછી બાઈક સ્લીપ થયું? તે અંગે પોલીસ તપાસ કરશે.

મળતી માહિતી મુજબ, ચંદ્રકુમાર મદનલાલ ચૌધરી (ઉંમર વર્ષ 40, રહે.ચોરડી ગામ, જિલ્લો મોરબી) ગત તા.28ના રાત્રે 9:30 વાગ્યાં આસપાસ પોતે નજર બાગ રેલવે સ્ટેશન પાસે રફાળીયા રોડ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલ. તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવેલ. અહીં તા.30 ના રોજ રાત્રે તેનું મોત નીપજ્યું હતું.પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક ચંદ્રકુમાર કારખાનમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા, નોકરી પતાવી બાઈક ઘરે આવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. તેઓ મૂળ બિહારના વતની હતા. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે, તેઓ પોતે 2 ભાઈ 2 બહેનમાં મોટા હતા. બનાવ બાઈક સ્લીપ થવાનો છે કે, કોઈ અજાણ્યા વાહનની ઠોકરે અકસ્માત થયો છે? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે






Latest News