મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહ-ભૂદેવોનું સ્નેહમિલન યોજાશે: વનાળિયા ગામે જુદાજુદા બે નાટકનું આયોજન


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહ-ભૂદેવોનું સ્નેહમિલન યોજાશે: વનાળિયા ગામે જુદાજુદા બે નાટકનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે કાલે સવારે બ્રહ્મ પરિવારો માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવોને ત્યાં આવવા માટે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને મોરબી પરશુરામ ધામના પ્રમુખ સહિતના હોદેદારોએ આમંત્રણ આપ્યું છે.

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો.બી.કે.લહેરુ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આર.કે ભટ્ટ અને મોરબી પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ અખબારી યાદીમાં જણાવ્યુ છેકે, તા.22/10 ને બુધવારના રોજ સાંજે 5:30 કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ મોરબી ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ મોરબીના લોક લાડીલા ધારાસભ્ય રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સન્માનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા તમામ બ્રહ્મ પરિવારના લોકોને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબીના વનાળિયા ગામે નાટક

મોરબીના વનાળીયા ગામે શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને જૂનાગઢનો ઇતિહાસ રા'નવઘણ તેમજ લોકોને પેટ પકડીને હસાવતું કોમીક નાટક કણી ગાંડીનો જહલો જમાઈ આગામી તા 26/10 ને રવિવારે રાતે 9:00 કલાકે ગામમાં આવેલ રામજી મંદિરના ચોકમાં રજૂ કરવામાં આવશે તેનો લાભ લેવા માટે ગામના તમામ લોકોને શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News