મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમલગ્ન કરનાર મહિલાને પતિ સાથે વાંધો પડતાં દીકરીને લઈને જતી રહી: સાસુ-સાળા ઉપર યુવાને કર્યો છરી વડે હુમલો


SHARE













વાંકાનેરમાં પ્રેમલગ્ન કરનાર મહિલાને પતિ સાથે વાંધો પડતાં દીકરીને લઈને જતી રહી: સાસુ-સાળા ઉપર યુવાને કર્યો છરી વડે હુમલો

વાંકાનેરના નવાપરા ખડીપરા મચ્છુ નદીના કાંઠે રહેતા વૃદ્ધાની દીકરીએ પ્રેમલગ્ન કર્યા હતા અને તેના પતિ સાથે તેને વાંધો પડતાં વૃદ્ધાની દીકરી તેની છ મહિનાની દીકરીને લઈને જતી રહી છે જેથી કરીને પ્રેમલગ્ન કરનાર યુવાન શખ્સ છરી સાથે વૃદ્ધના ઘરે આવેલ હતો અને મારી દીકરી કયા છે તેવું વૃદ્ધને પૂછ્યું હતું. ત્યારે વૃદ્ધાએ કહ્યું હતું કે તમારી દીકરી અહીંયા નથી જેથી ઉસકેરાઈ ગયેલા શખ્સે ઘરના દરવાજામાં પાટુ મારીને નકૂચો તોડી નાખ્યો હતો અને ઘરમાં પ્રવેશ કરીને તેના સાસુ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને આટલું જ નહીં વૃદ્ધના દીકરા અને પુત્રવધૂને પણ છરીના ઘા મારીને ઇજા કરીને હતી અને ઢિકાપાટુનો માર મારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા ખડીપરા મચ્છુ નદીના કાંઠે રહેતા માણેકબેન વેરશીભાઈ મીઠાપરા (65)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ અનવર ઉર્ફે જુમ્મો કાળુભાઈ શેખ રહે. ચંદ્રપુરના નાલા પાસે વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની દીકરી ભારતીએ આરોપી સાથે પ્રેમલગ્ન કરેલ છે અને પતિ પત્નીને વાંધો પડતાં તેઓની દીકરી ભરતિબેન તેની નાની છ મહિનાની દીકરીને સાથે લઈને જતાં રહ્યા છે જેથી આરોપી છરી સાથે તેઓના ઘરે આવેલ હતો અને દરવાજો બંધ હોવાથી ખખડાવ્યો હતો જેથીઓ વૃદ્ધાએ પૂછ્યું હતું કે, કોણ ? જેથી હું જુમ્મો છું મારી દીકરી કયા છે તેવું કહ્યું હતું ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે તમારી દીકરી અહીંયા નથી જેથી ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ફરિયાદીના ઘરના દરવાજામાં પાટા મારીને નકૂચો તોડી નાખ્યો હતો અને ફરિયાદી તથા તેના દીકરા વનરાજ અને પુત્રવધૂ મધુબેનને છરી વડે આડેધડ ઘા મારીને શરીરે ઇજા કરી હતી તથા નીચે પછાડી દઈને છાતી અને શરીરના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News