મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. કમુબેન જેસંગભાઈ મકવાણાની 36મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારજનોએ સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. અને મોરબી સિવિલ હોસ્પિટલના સહયોગથી વાવડી રોડ પર આવેલી રામકૃપા પેટ્રોલિયમ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 131 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. આ તકે જૈન મારાજ સાહેબ પંથક મુની તેમજ રાજકીય અગ્રણીમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડો.જયંતિભાઈ ભાડેસિઆ, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, તથા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ કેમ્પના આયોજક વિક્રમભાઈ જેસંગભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, કોઈ દર્દીને રક્તના અભાવે મુશ્કેલી ન પડે તે હેતુસર રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.






Latest News