મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું


SHARE













મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું

મોરબીમાં રહેતા ગડારા પરિવાર દ્વારા ગડારા પરિવારના સ્નેહ મિલનનું તાજેતરમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ શિવમ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સાડા ત્રણસો કરતા વધુ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને એક બીજાનો પરિચય આપ્યો હતો અને સહુ કોઈએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો અને જ્યાં અન્ન ભેગા ત્યાં મન ભેગાને ઉક્તિને સાર્થક કરી હતી. ત્યાર બાદ પરિવારના લોકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને આ કાર્યક્રમ ગડારા પરિવારના મોભી રાઘવજીભાઈ ગડારાનાં માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા કરવામાં આવેલ હતો.

પાંચાબાપા ગડારા ટ્રસ્ટ દ્વારા ગડારા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગડારા પરિવારના મોભી રાઘવજીભાઈ ગડારા ખાસ હાજર રહ્યા હતા અને સમાજના યુવાનો સહિતના લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રાઘવજીભાઈ ગડારાના પત્ની માણેકબેન ગડારા દ્વારા વાડીલોની ભૂમિકા નિભાવતા હોય તેમ સમાજની એકતા અને પરસ્પર લાગણી વધે અને એકબીજાને મદદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. અને હંમેશા ગડારા પરિવારની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને આવા કાર્યક્રમો થતા રહે તેવી પૂજય પાંચાબાપાના ચરણોમાં સહુ કોઈએ પ્રાર્થના કરી હતી. અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.






Latest News