મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારા નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત


SHARE







ટંકારા નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ હોટલ નજીક માનસિક બીમાર યુવાન કોઈ કારણોસર પડી જતા તેને જમણા પગની ઘૂટીમાં ઈજા થઈ હતી અને વધુ પ્રમાણમાં લોહી નીકળી ગયું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબી તાલુકાના મકાનસર ગામે રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું.

મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કરગથળ ગામનો રહેવાસ નરેશભાઈ ઉર્ફે ટીનો જેણાજીભાઈ બકરાણીયા (36) નામનો યુવાન ટંકારા રાજકોટ રોડ ઉપર આવેલ ખજુરા હોટલથી આગળના ભાગમાં હતો ત્યારે આ માનસિક બીમાર યુવાન પડી ગયો હતો જેથી તેને જમણા પગમાં ઘુટીના ભાગે ઇજા થયેલ હતી અને વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હતું જેથી તેનું મોત નીપજયું હતુ અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા જેણાજી દેવાજી બકરાણીયા (70) રહે. કરગથળ તાલુકો વિરમગામ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા વાસુદેવભાઈ કુંવરજીભાઈ કવાડિયા (61) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને રાકેશભાઈ તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News