હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતી પ્રસંગે મહાપ્રસાદ યોજાયો


SHARE











મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતી પ્રસંગે મહાપ્રસાદ યોજાયો

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના જલારામ ધામ ખાતે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.ત્યારે સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે મોરબીના માતુશ્રી જશવંતીબેન પ્રતાપરાય મહેતા પરિવાર દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજાયો હતો.આ પ્રસંગે જતીનભાઈ મહેતા, જયેશભાઈ ટોળીયા, જતીનભાઈ શેઠ, ચેતનભાઈ શેઠ, હેતભાઈ શેઠ સહીતના જૈન સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે મહાપ્રસાદ પિરસી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.

મોરબીના મહેતા પરિવારના આ પ્રેરણાદાયી કાર્ય બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, કીશોરભાઈ ચંડીભમર, નિરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, સંજયભાઈ હીરાણી, અનિલભાઈ ગોવાણી, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અમિતભાઈ પોપટ, હીતેશભાઈ જાની, વિપુલભાઈ પંડીત સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News