વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિર પાસે શાળાના મેદાનમાં શ્રમિક યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબીમાં મણીમંદિર પાસે શાળાના મેદાનમાં શ્રમિક યુવાને ન કરવાનું કરી નાખ્યું

 મોરબી વીસી હાઈસ્કુલની સામે મણી મંદિરની બાજુમાં આવેલ તાલુકા શાળા નંબર-1ના ગ્રાઉન્ડમાં વૃક્ષ ઉપર લટકતી હાલતમાં યુવાનની લાશ મળી આવેલ હતી. જેથી શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ સદાતીયાએ એ ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી. જેને પગલે બીટના જવાબદાર એસ.એમ. કમોયા તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે વૃક્ષ ઉપર પરપ્રાંતિય યુવાનની લાશ લટકતી હતી. નીચે મોબાઈલ પડેલ હતો. તપાસ કરતા મૃતકનું નામ ગોવિંદ રામદિનભાઈ ગૌતમ (ઉ.18) મુળ રહે. અમેઠી હાલ મોરબી એકઝેલો સીરામીક પાસે પાવડીયારી જેતપર રોડ હોવાનું ખુલ્યુ હતું. મૃતક અપરણીત હતો. માતા પિતા તેને કમાવા બાબતે ઠપકો દેતા હોય તેનું લાગી આવવાથી ગોવિંદએ અંતિમ પગલુ ભરી લીધુ હતું.

મહિલા સારવારમાં
 માળીયા (મીં) જખરીયા વાંઢમાં ઘર પાસે સાપ કરડી જતા જન્નતબેન રમજાનભાઈ માલાણી (30)ને અત્રે સિવિલે સારવાર માટે લવાયા હતા. જોડીયા તાલુકાના તારાણા ગામના રાયધનભાઈ નાટડા (51)ને ગામમાં બાઈકમાંથી પડી જતા સારવાર માટે મોરબી લવાયા હતા. ટંકારાના ખાનપર (ઘુનડા) ગામે સીમમાં મારામારીમાં ઈજા થતા સંગ્રામભાઈ આંબાભાઈ રબારી (55)ને ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા
 મોરબી ગાંધી ચોક નજીક મારામારીમાં ઈજા થતા શેરમામદ ઈબ્રાહીમભાઈ (28) રહે. વીસીપરાને સારવારમાં લઈ જવાયા હતા. શનાળા ચોકડીએ બાઈકમાંથી પડી જતા વસંતાબેન ભગવાનજીભાઈ સુરાણી (68) રહે. પંચવટી સોસાયટીને અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા. સુરજબાગ પાસેથી પગપાળા જઈ રહેલા રાજેશભાઈ લાભશંકર જોષી (56) રહે. જડેશ્વર મંદિર પાસે સ્ટેશન રોડ મોરબીને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવાયા હતા. જયારે કડીયા શેરી ગ્રીન ચોક ખાતે રહેતા ભાવેશભાઈ લાલજીભાઈ ચુડાસમા (43)ને ઘર નજીક વાહનમાંથી પડી જતા અને તેવી જ રીતે મોરબી રવાપર રોડ ચકીયા હનુમાન મંદિર પાસે બાઈક-રીક્ષા અકસ્માત બનાવમાં ઈજા પામેલ જીજ્ઞેશભાઈ મહેન્દ્રભાઈ સોની (40) અને દીક્ષીતાબેન જીજ્ઞેશભાઈ (17) રહે. બંને પારેખ શેરી મોરબીને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News