ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવા સશક્તિકરણ અંગે સાંસદની હાજરીમાં વ્યાખ્યાન મંથન યોજાયું


SHARE











વાંકાનેરમાં યુવા સશક્તિકરણ અંગે સાંસદની હાજરીમાં વ્યાખ્યાન મંથન યોજાયું

મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યુવા સશક્તિકરણ અંતર્ગત વ્યાખ્યાન મંથન યોજવામાં આવ્યું હતું જેમાં આશરે ૧ હજાર જેટલા યુવાઓ જોડાયા હતા. મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દ્વારા વાંકાનેર ખાતે શ્રી એચ.એન.દોશી આર્ટસ અને આર.એન. દોશી કોમર્સ કોલેજ વાંકાનેર ખાતે યુવા સશક્તિકરણ અંતર્ગત યોજાયેલા વ્યાખ્યાન મંથનમાં કેશરીદેવસિંહ ઝાલાએ યુવાઓ સાથે યુવાનોને સશક્ત કરવા માટે અમલી વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, વાંકાનેર ચીફ ઓફિસર ગિરીશ શેરૈયા, દોશી કોલેજના આચાર્ય, વક્તા ડો. મયુર જાની તેમજ કોલેજનો સમગ્ર સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News