મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી


SHARE







હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી

હળવદ ભાજપના મહિલા અગ્રણીના પતિએ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી માલગાડીની આડે પડતું મૂક્યું હતું અને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા ભાજપના મહિલા આગેવાન જશુબેન પટેલના પતિ શાંતિલાલ નરસીભાઈ પટેલ (58)એ કોઈપણ કારણોસર જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર માલગાડીની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની જાણ થતા ભાજપના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમજ મૃતક શાંતિભાઈ પટેલ દ્વારા ક્યા કારણોસર આપઘાત કરવામાં આવેલ છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News