ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનએ રાજકોટમાં જીવન ટુકાવ્યું


SHARE











મોરબીના યુવાનએ રાજકોટમાં આપઘાત કર્યો,22 વર્ષીય યુવાન રાજકોટમાં રૂમ ભાડે રાખી રહેતો, મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો, ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી : કારણ અકબંધ

મોરબીના 22 વર્ષીય મકબુલ સુમરાએ રાજકોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત અનુસાર, મકબુલ અલીમહંમદ સુમરા (ઉંમર વર્ષ 22, રહે.મોરબી, વીસીપરા મેઈન રોડ મોરબી) ગઈકાલે 6:45 વાગ્યાં આસપાસ રાજકોટના વૈશાલીનગર શેરી નંબર 3 હરિભાઈ ડાંગરના મકાનમાં હતો. ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો.

જેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરેલ. મકબુલ મૂળ મોરબીનો વતની હતો. તેના પિતા અલીમહંમદભાઈ મોરબીમાં ભંગારનો ધંધો કરે છે. મકબુલ ત્રણ ભાઈ અને એક બેનમાં ત્રીજા નંબરનો હતો. તે અપરણિત હતો. અહીં રાજકોટમાં વૈશાલીનગરમાં રૂમ ભાડે રાખી મોબાઈલના શો રૂમમાં નોકરી કરતો હતો. પરિવારજનો આત્મહત્યાના કારણથી અજાણ હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 






Latest News