મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર ચંદ્રપુર ગામ પાસે દાઝી ગયેલ પરપ્રાંતિય યુવકનું સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેર ચંદ્રપુર ગામ પાસે દાઝી ગયેલ પરપ્રાંતિય યુવકનું સારવાર દરમ્યાન મોત

ગત તા.16/92025ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસે ગેસનો ચૂલો ચાલુ કરવા જતા આગ લાગતા આશરે 40 વર્ષીય પરપ્રાંતિય યુવાન દાઝી ગયો હતો. તેને પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બાદમાં તબિયત નાજુક હોવાથી વાંકાનેર સરકારી હોસ્પિટલના કર્મચારી પ્રકાશભાઈ સહિતનાએ આ યુવકને એમ્બયુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો.

ચા બનાવવા ગેસનો ચૂલો ચાલુ કર્યો ત્યારે ભડકો થતા દાઝી ગયાનું દર્દીએ ત્રુટક ત્રુટક શબ્દોમાં જણાવેલ. રાજકોટ સિવિલમાં લાંબી સારવાર બાદ ગઈકાલે તા.26/9ના રોજ રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકનું નામ-ઠામ કંઈ જાણવા મળેલ નહીં વાંકાનેર પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડેલ અને તેની ઓળખ કરવા તેમજ વાલી વારસની શોધખોળ કરવા તપાસ હાથ ધરી હતી






Latest News