મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત


SHARE













હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત

હળવદના કવાડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ મજૂરી કામ કરતા યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદના કવાડિયા ગામના તળશીભાઈ રાઘુભાઈ સિહોરા (27)વિશાલભાઈ ભડાણીયાની વાડી ચોથા ભાગે રાખી છે જેથી તે મજૂરીકામ કરતા હતા. તેવામાં શનિવારેના સમયે તળશીભાઇ વાડીએ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા ત્યારે વીજ શોક લાગતા તળશીભાઈ રાઘુભાઈ સિહોરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ગામના સરપંચ સહિત આગેવાનો તેના મૃતદેહને  હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી. ઉલેખનીય છે કે, મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. અને તેના પિતાનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયું હતું. અને અકસ્માતના આ બનાવમાં યુવાનનું મોત થવાથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News