મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડના સ્ટાફે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો


SHARE











મોરબી માર્કેટ યાર્ડના સ્ટાફે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો

સહકાર થી સમૃધ્ધિસંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ ને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષતરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડ ક્ષેત્રે થયેલ વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખી આભાર પ્રદર્શન કરવા કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોને તેની ઉપજનો ખરો તોલ થાય, તેને ઉત્પન્ન કરેલ ખેત પેદાશોનો પુરતો ભાવ મળી રહે, તેવા ઉદ્દેશથી દેશના માર્કેટીંગ યાર્ડોમાં પાયાની સગવડો ઉભી કરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સરકાર તરફથી APMC ના આધુનીકરણ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય આપી માર્કેટીંગ યાર્ડોને સુદૃઢ બનાવવામાં આવ્યા છે. APMC ના વિકાસ માટે વરહઃ કિસાન કલ્પવૃક્ષ યોજના : બજાર સમિતિઓમાં આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા સહાય આપવાની યોજના હેઠળ માળખાકીય સુવિધા જેવી કે, ખેડૂતો માટેના શેડ, ઓકશન શેડ, ખેડૂતો માટેની કેન્ટીન, ખેડૂત સહાય કેન્દ્ર, વેચાણ કમ પ્રદર્શન સેન્ટર, અનાજ, કઠોડ તથા મસાલા સાફ કરવાના ક્લીનીંગ વોશીંગ, ગ્રેડીંગ, પેકેજીંગના યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, એમ્બ્યુલન્સ વાન વિગેરે જેવી વિવિધ આરોગ્યલક્ષી સવલતો, રેસ્ટ હાઉસ, કોમ્પ્યુટરાઇઝેશન, એસેઇંગ લેબોરેટરી વગેરે સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. જેના કારણે APMC માં માળખાકીય સુવિધા ઉભી થવાથી ખેતપેદાશો વેચવા માટે આવનાર ખેડૂતોને તેનો સીધો લાભ મળે છે. જે માટે મોરબી સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, ડો. બી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાર્ડના કર્મચારીઓ, વેપારીઓ અને ખેડૂતો દ્વારા દેશના વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો છે.






Latest News