ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડના સ્ટાફે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો


SHARE











મોરબી માર્કેટ યાર્ડના સ્ટાફે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો

સહકાર થી સમૃધ્ધિસંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ ને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષતરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડ ક્ષેત્રે થયેલ વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખી આભાર પ્રદર્શન કરવા કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોને તેની ઉપજનો ખરો તોલ થાય, તેને ઉત્પન્ન કરેલ ખેત પેદાશોનો પુરતો ભાવ મળી રહે, તેવા ઉદ્દેશથી દેશના માર્કેટીંગ યાર્ડોમાં પાયાની સગવડો ઉભી કરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સરકાર તરફથી APMC ના આધુનીકરણ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય આપી માર્કેટીંગ યાર્ડોને સુદૃઢ બનાવવામાં આવ્યા છે. APMC ના વિકાસ માટે વરહઃ કિસાન કલ્પવૃક્ષ યોજના : બજાર સમિતિઓમાં આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા સહાય આપવાની યોજના હેઠળ માળખાકીય સુવિધા જેવી કે, ખેડૂતો માટેના શેડ, ઓકશન શેડ, ખેડૂતો માટેની કેન્ટીન, ખેડૂત સહાય કેન્દ્ર, વેચાણ કમ પ્રદર્શન સેન્ટર, અનાજ, કઠોડ તથા મસાલા સાફ કરવાના ક્લીનીંગ વોશીંગ, ગ્રેડીંગ, પેકેજીંગના યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, એમ્બ્યુલન્સ વાન વિગેરે જેવી વિવિધ આરોગ્યલક્ષી સવલતો, રેસ્ટ હાઉસ, કોમ્પ્યુટરાઇઝેશન, એસેઇંગ લેબોરેટરી વગેરે સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. જેના કારણે APMC માં માળખાકીય સુવિધા ઉભી થવાથી ખેતપેદાશો વેચવા માટે આવનાર ખેડૂતોને તેનો સીધો લાભ મળે છે. જે માટે મોરબી સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, ડો. બી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાર્ડના કર્મચારીઓ, વેપારીઓ અને ખેડૂતો દ્વારા દેશના વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો છે.






Latest News