મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત


SHARE











વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત

વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે આઇસરના ચાલકે તે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ બે વ્યક્તિ પૈકી એકનું મોત નીપજયું છે જો કે, ઇજા પામેલા બીજા વ્યક્તિની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આઇસર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે એસ રના પેટ્રોલપંપની પાછળના ભાગમાં રહેતા રણજીતભાઈ રમેશભાઈ દરોગા (20) નામના યુવાને આઇસર નંબર જીજે 3 સીયું 7091 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર બાઉન્ડ્રીથી સમઢીયાળા ગામ તરફ ફરિયાદી પોતાના બાઈક નંબર જીજે 1 યુઇ 2894 માં અનિલભાઈને પાછળ બેસાડીને જઈ રહ્યો હતો દરમિયાન વાંકાનેરથી વાકાનેર બાઉન્ડ્રી તરફ જવાના રસ્તા ઉપર આઇસર ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને રોડની કટ પાસે જોયા વગર વાહન લઈને નીકળતા રોડ ક્રોસ કરી રહેલ ફરિયાદીના બાઇકને આઇસરની ખાલી સાઈડમાં હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને પેટ, જમણા પગ અને શરીરે ઇજાઓ થઈ હતી અને બાઈકમાં પાછળના ભાગે બેઠેલા અનિલભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન અનિલભાઈનું મોત નીપજયું હતુ જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ઈજા પામેલા રણજીતભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News