હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં 3.08 કરોડની કિંમતના દારૂ બિયારના જથ્થા ઉપર રોડ રોલર ફરી વળ્યું મોરબી આગવી ઓળખ સ્થાપિત કરે તે માટે સંકલિત પ્રયાસો કરવા મંત્રીની મહાપાલિકાના મેયર-સભ્યોને ટકોર તેરા તુજકો અર્પણ: વાંકાનેર સિટી પોલીસે રોકડ, મોબાઈલ અને બાઇક સહિત લાખોનો મુદામાલ અરજદારોને પરત કર્યો મોરબી સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી ગુમ હળવદના જુના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધીનું ગામના ખેડૂતોએ વાજતે ગાજતે લગાવ્યું બેનર મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા


SHARE







મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે નવનિર્મિત શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ગઈકાલ તા.૯ ના રોજ ગણેશ સ્થાપના કર્યા બાદ આજે તા.૧૦-૧૨ ને શુક્રવારના રોજ જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા યોજાનાર છે.આજે બપોરે ૨ કલાકે  જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા બાદ આવતીકાલ તા.૧૧ ને શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં બપોરના ૧૧:૫૦ કલાકે ભગવાનની નિજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ યજ્ઞ યોજાશે અને યજ્ઞ બાદ બપોરના ૩:૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે અને સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તેમ પાટીદાર ટાઉનશીપના ગીરીશભાઇ મેથાણીયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News