મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા


SHARE











મોરબીની પાટીદાર ટાઉનશીપ ખાતે શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે નવનિર્મિત શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ગઈકાલ તા.૯ ના રોજ ગણેશ સ્થાપના કર્યા બાદ આજે તા.૧૦-૧૨ ને શુક્રવારના રોજ જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા યોજાનાર છે.આજે બપોરે ૨ કલાકે  જલયાત્રા તથા ભગવાનની નગરયાત્રા બાદ આવતીકાલ તા.૧૧ ને શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે જેમાં બપોરના ૧૧:૫૦ કલાકે ભગવાનની નિજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ યજ્ઞ યોજાશે અને યજ્ઞ બાદ બપોરના ૩:૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે અને સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તેમ પાટીદાર ટાઉનશીપના ગીરીશભાઇ મેથાણીયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News