મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ગુજરાતમાં ભાજપના શાસનમાં માલધારી સલામત નથી: રમેશભાઈ રબારી


SHARE











ગુજરાતમાં ભાજપના શાસનમાં માલધારી સલામત નથી: રમેશભાઈ રબારી

ગુજરાતમાં ભાજપનું શાસન છે ત્યારે માલધારી પરિવારો સાવ નિરાધાર અને સલામતી વિહોણા બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને અગાઉ પણ અનેક હત્યાના બનાવો ગુજરાતમાં  બનેલ છે અને કડીનાં ખેરપુર ગામે રાજુભાઈની હત્યાથી આ સિલસિલો ચાલુ છે જેમા મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર, સાયલા, સુદામડા ખાતે માલધારી યુવાનોની ઘાતકી હત્યાઓ થયેલ છે ત્યારે રાજયનું ગૃહખાતુ અને તેના જવાબદાર અધિકારીઓની ગુનાહિત ઉદાસીનતા મુખ્ય કારણભૂત છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કે રાજયમાં કાયદો વ્યવસ્થા જેવું જરાપણ નથી ગમે ત્યારે અને ગમે ત્યાં સમાજનાં લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે અને તેની સુયોગ્ય પોલીસ પગલા લેવાતા નથી. બાબતે જે તે વિસ્તારના લોકોએ યોગ્ય રજુઆત કરવા છતા પણ હત્યાના બનાવો અટક્તા નથી અને લોકોની બેરહેમીથી હત્યાઓ થાય છે ત્યારે આ બાબતે રાજયકક્ષાએ પગલા લઈને હત્યા કરનારા સામે કડક પગલા લઈ સમાજમાં નિર્ભયતાનું વાતાવરણ બનાવવું જોઈએ અન્યથા આ પ્રશ્ને વર્ગવિગ્રહ થઈ અંદરો અંદર તોફાનો પણ થવાની શકયતા છે

રાજયનાં ગૃહમંત્રીએ અંગત રસ લઈને પગલા લેવડાવી આવી ગુન્હાખોરી અટકાવવી જોઈએ તેવી જનહિતમાં સલામતી અને સુલેહ માટે વ્યવસ્થા ગોઠવવા રમેશભાઈ રબારીએ માંગણી કરેલ છે. અને જુનાગઢ, પોરબંદર, બરડા આલોચના અનુસુચિત જનજાતિના પ્રશ્ને સરકારની બેજવાબદારીના કારણે સમાજનાં બે મુખ્ય આગેવાનોએ પ્રશ્નનો સમયસર નિરાકરણ ન થતા આત્મહત્યા કરેલ છે આ પણ સરકારની જવાબદારી બને છે અને સમયસર પ્રશ્ન ઉકેલાયો હોત તો આ લોકોને આત્મહત્યા કરતા અટકાવી શકયા હોત તેવું તેઓએ જણાવ્યુ છે






Latest News