મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મીં)ના દેવગઢ પાસે રીક્ષા પલ્ટી જતા બે લોકો સારવારમાં


SHARE











મોરબી : માળીયા (મીં)ના દેવગઢ પાસે રીક્ષા પલ્ટી જતા બે લોકો સારવારમાં 

મોરબીના માળીયા મીંયાણા તાલુકાના જુના દેવગઢ (જાજાસર) ગામે રહેતા ભરતભાઈ રૂપાભાઈ ધોળકીયા (38) અને કેશુભાઈ ખોડાભાઈ કોળી (67)ને સારવાર માટે મોરબી લવાયા હતા. રીક્ષામાં જતા સમયે રીક્ષા પલ્ટી મારી જતા બન્નેને ઈજાઓ પહોંચી હતી.

બનાવ દેવગઢ ગામ પાસે બનેલ હોય પોલીસે આગળની તપાસ કરી હતી. જયારે જેતપર રોડ પાવડીયારી પાસેના અલાસકા સિરામીક પાસે રહી મજુરી કામ કરતા સરદારભાઈ શંકરભાઈ જાટ (50)ને યુનીટમાં મારામારીમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.

 જયારે હળવદ રોડ ઉંચી માંડલ પાસેના ઓરીન્ડા સિરામીકમાં બોઈલ મીલ લોડીંગ કરતા સમયે રસ્તો તુટી જતા ભોલાભાઈ (20) નામના યુવાનને કમર અને જમણા પગે ઈજા થતા સારવાર માટે શિવમ હોસ્પિટલે લવાયો હતો.

દવા પી જતા

 આમરણ (બેલા) રહેતા કાસમ આમદભાઈ જામ નામનો 34 વર્ષનો યુવાન મંદિર પાસે તેના ઘરે દવા પી જતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે લવાયો હતો તો ભડીયાદ રોડે નળીયાના કારખાના પાસે બાઈક સ્લીપ થઈ જતા ગીરધરભાઈ વાસુભાઈ સનુરા (58) રહે. ત્રાજપર સારવાર માટે ખસેડાયા હતા. તેમજ વાંકાનેરના કોઠારીયા (જડેશ્ર્વર)ના રહેવાસી મહિપતસિંહ પ્રતાપસિંહ ઝાલા (46)ને મારામારીમાં ઈજા થતા અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

 જયારે હળવદના વેગડવાવ ગામે વાડીએ દવા છાંટતા સમયે ચામડી પર અસર થતા જનકબેન પ્રતાપભાઈ પીપળીયા નામની 30 વર્ષની મહિલાને સારવાર માટે મોરબી લવાયા હતા.

યુવાન સારવારમાં

 રાજકોટની માધાપર ચોકડીએ કોઈ ઈસમે પથ્થર મારતા અલી નુરમહંમદ માણેક (45) રહે. કુલીનગર વીસીપરાને રાજકોટ પ્રાથમીક સારવાર આપીને હાલ અત્રેની સિવિલે એડમીટ કરાયો હતો.

જયારે ટંકારાના નાના ખીજડીયા ગામે જુની પ્રાથ.શાળા પાસે રહેતા જયલીબેન મહેશભાઈ (35) ઘરે કોઈ કારણસર એસીડ પી જતા સારવારમાં મોરબી લવાયા હતા. તેમજ ધ્રાંગધ્રાના વિરાણીયા ખાતે રહેતા હરીષસિંહ ઉદેસિંહ જાડેજા (81) નામના વૃધ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા. ત્યારે સ્લીપ થતા ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી લવાયા હતા.

આધેડ સારવારમાં

 છાત્રાલય રોડ બાલાજી ડેરી પાસે બાઈક ચાલકે હડફેટે લેતા દામજીભાઈ વાઘજીભાઈ પંચાસરા (77) રહે. શ્રીકુંજ સોસાયટીને સારવાર માટે લઈ જવાયા હતા. જયારે ઘરે જાતે બ્લેડ વડે ચેકા મારી લેતા સનેશભાઈ શામજીભાઈ કુણપરા (14) રહે. રણછોડનગરને સારવારમાં સિવિલે લવાયો હતો. તો ગુ.હા. બોર્ડ સામાકાંઠે ગણેશ ડેરી નજીક વાહન સ્લીપ થઈ જતા ઈજા પામેલા નરસીભાઈ જેસીંગભાઈ સનુરા (45) રહે. ત્રાજપર ખારી વિસ્તારને સારવારમાં લઈ જવાયા હતા.

વાહન અકસ્માત

 ખાનપર ગામે રહેતા નરભેરામભાઈ ગણેશભાઈ અમૃતીયા (56)નું બાઈક સ્લીપ થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા. તેમજ જેતપર પીપળી રોડ એબીસી સીરામીક પાસે આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતા વાહન અકસ્માતમાં વિવેક રમેશભાઈ બાપલીયા (29) રહે. શનાળા રોડ મોરબીને સારવાર માટે ખસેડાયો હતો






Latest News