મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અવિરત મેઘ મહેર, છેલ્લી 24 કલાકમાં દોઢથી લઈને પોણા પાંચ જેટલો વરસાદ


SHARE







મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અવિરત મેઘ મહેર, છેલ્લી 24 કલાકમાં દોઢથી લઈને પોણા પાંચ જેટલો વરસાદ

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 26 કલાકથી વરસાદી માહોલ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે અને મોરબી જિલ્લામાં દોઢથી લઈને પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે જોકે જિલ્લામાં 10 પૈકીના ચાર ડેમ સો ટકા ભરાયા છે મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ હજી 90 ટકા સુધી જ ભરાયો હોવાના કારણે લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીના પ્રશ્નો ઉકેલાઇ જશે.

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન છૂટક છૂટક વરસાદ થયો હોવાના કારણે આજની તારીખે પણ લોકોને હૈયે ટાઢક થાય તેવો વરસાદ પડ્યો નથી તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી દરમિયાન ગઈકાલે સવારે 6 થી આજે સવારના 8 સુધીમાં એટલે કે, છેલ્લી 26 કલાકથી મોરબી જિલ્લામાં વરસાદી માહોલ  હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી પ્રમાણે માળિયા તાલુકામાં 141 એમએમ, મોરબી તાલુકામાં 94 એમએમ, ટંકારા તાલુકામાં 71 એમએમ, વાંકાનેર તાલુકામાં 36 એમએમ અને હળવદ તાલુકામાં 70 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે જોકે ધીમીધારે છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના કારણે કોઈ જગ્યાએ મોટી નુકસાની થઈ હોય કે વરસાદી પાણી ભરાયો હોય તેવા સમાચાર સામે આવ્યા નથી પરંતુ કેટલીક જગ્યાએ પવનના કારણે વૃક્ષો તૂટી પડ્યા હોય કે હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે પરંતુ તેમાં પણ કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી આમ મેઘરાજાએ પોતાની છેલ્લી ઇનિંગ્સમાં મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોને ભરી દીધા છે અને ખાસ કરીને મોરબી જિલ્લામાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયો જેમાં મચ્છુ એક, મચ્છુ બે, બ્રાહ્મણી એક અને બ્રાહ્મણી બે આ ચારેય ડેમ ભરાઈ ગયા હોવાથી લોકોને પીવાના પાણીની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.






Latest News