મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અવિરત મેઘ મહેર, છેલ્લી 24 કલાકમાં દોઢથી લઈને પોણા પાંચ જેટલો વરસાદ


SHARE













મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અવિરત મેઘ મહેર, છેલ્લી 24 કલાકમાં દોઢથી લઈને પોણા પાંચ જેટલો વરસાદ

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લી 26 કલાકથી વરસાદી માહોલ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે અને મોરબી જિલ્લામાં દોઢથી લઈને પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે જોકે જિલ્લામાં 10 પૈકીના ચાર ડેમ સો ટકા ભરાયા છે મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ હજી 90 ટકા સુધી જ ભરાયો હોવાના કારણે લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીના પ્રશ્નો ઉકેલાઇ જશે.

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન છૂટક છૂટક વરસાદ થયો હોવાના કારણે આજની તારીખે પણ લોકોને હૈયે ટાઢક થાય તેવો વરસાદ પડ્યો નથી તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી દરમિયાન ગઈકાલે સવારે 6 થી આજે સવારના 8 સુધીમાં એટલે કે, છેલ્લી 26 કલાકથી મોરબી જિલ્લામાં વરસાદી માહોલ  હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી પ્રમાણે માળિયા તાલુકામાં 141 એમએમ, મોરબી તાલુકામાં 94 એમએમ, ટંકારા તાલુકામાં 71 એમએમ, વાંકાનેર તાલુકામાં 36 એમએમ અને હળવદ તાલુકામાં 70 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે જોકે ધીમીધારે છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના કારણે કોઈ જગ્યાએ મોટી નુકસાની થઈ હોય કે વરસાદી પાણી ભરાયો હોય તેવા સમાચાર સામે આવ્યા નથી પરંતુ કેટલીક જગ્યાએ પવનના કારણે વૃક્ષો તૂટી પડ્યા હોય કે હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે પરંતુ તેમાં પણ કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી આમ મેઘરાજાએ પોતાની છેલ્લી ઇનિંગ્સમાં મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોને ભરી દીધા છે અને ખાસ કરીને મોરબી જિલ્લામાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયો જેમાં મચ્છુ એક, મચ્છુ બે, બ્રાહ્મણી એક અને બ્રાહ્મણી બે આ ચારેય ડેમ ભરાઈ ગયા હોવાથી લોકોને પીવાના પાણીની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.






Latest News