મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામની સીમમાં રહેતા યુવાને ઘરમાં સામાન્ય ઝઘડા થતા હોય કંટાળીને કર્યો આપઘાત


SHARE







હળવદના માથક ગામની સીમમાં રહેતા યુવાને ઘરમાં સામાન્ય ઝઘડા થતા હોય કંટાળીને કર્યો આપઘાત

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની પત્ની પિયરમાં જતી રહી હોય યુવાન પણ સાસરીમાં રહીને મજૂરી કામ કરતો હતો પરંતુ તે તેને ગમતું ન હોય અને ઘરમાં સામાન્ય ઝઘડા થતા હોવાના કારણે તે કંટાળી ગયો હતો અને તેણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ધાંગધ્રાની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી વિગત મુજબ મૂળ નર્મદા જિલ્લાના રાજપીપળા ગામના માકડાઆંબાના રહેવાસી રાજુભાઈ સીતારામભાઈ નાયકા (27) કે જે હાલમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં ભરતસિંહ પરમાર ની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા તેણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પત્ની પોતાના પિયરમાં જતી રહી હોય યુવાન પણ સાસરીમાં રહીને મજૂરી કામ કરતો હતો જે પોતાને ગમતું ન હોય અને ઘરમાં સામાન્ય બાબતે ઝઘડા થતા હોવાના કારણે કંટાળી જઈને પોતે પોતાની જાતે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા માં આવેલ સર્જન્ટ પોલિપેક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રિન્સકુમાર લાલબહાદુર રાજભર (19) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો દરમિયાન કોઈ કારણસર તે બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે પડધરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News