ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા મીયાણામાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો


SHARE











માળીયા મીયાણામાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણામાં ફાટકથી ગુલાબડી જવાના રસ્તા ઉપર પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હોય 2000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયામાં ફાટકથી ગુલાબડી તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી લાઇસન્સ કે પરવાના વગરની દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સદ્દામભાઈ કાસમભાઇ ભટ્ટી (32) રહે. જુના હંજીયાસર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મજુર સારવારમાં
મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ ગામે આવેલ દ્વારકાધીશ પોલીમર્સ નામના કારખાનામાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જવા શ્યામજી જીગરનાથ ગોડ (૪૬) હાલ રહે.ઉંચી માંડલ ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી બનાવની નોંધ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી જેલ રોડ મકરાણી વાસ વિસ્તારમાં રહેતા પરિવારની રજિયાબેન આરીફભાઈ નામની ૧૬ વર્ષની સગીરાને કોઈ જનાવર કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News