મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નવા બનતા હળવદ રોડ પર આવેલા આદેરણા ગામ પાસે બનતા પુલમાં થયેલા ભષ્ટ્રાચારની તંત્રને રજૂઆત


SHARE







આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નવા બનતા હળવદ રોડ પર આવેલા આદેરણા ગામ પાસે બનતા પુલમાં થયેલા ભષ્ટ્રાચારની તંત્રને રજૂઆત

મોરબીમાં દિવસે ને દિવસે રોડ પર ખુબ જ ટ્રાફિક વધતો જાય છે જેનાં માટે મોરબી જિલ્લા તંત્ર દ્વારા મહેન્દ્રનગર ચોકડી થી હળવદને જોડતો રસ્તા ને પહોળો કરવાનું કામ ચાલુ કર્યું છે.જેના લીધે ટ્રાફિક સમસ્યા મહદ અંશે સોલ્યુશન પણ થશે એવું તંત્ર માને છે.આ રોડ બને છે ત્યાં આદરણા ગામ પાસે નવો પુલ બનાવ્યો છે જે ટુંક સમયથી વહાન અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીની ટીમ તે પુલની મુલાકાત લીધી હતી. ત્યારે પુલ નીચે લોખંડ સપોર્ટ માર્યાં છે.જેનો મતલબ પુલ નીચેથી ધસી ગયો છે એવું લાગે છે.હજુ નીચે આર.સી. સી. કામ બાકી છે છતાં પુલ પર વહાન વ્યવહાર ચાલુ કર્યો છે.સાઈડમાં માટી કામ કર્યું છે.તેનાં ઉપર આર.સી.સી. નું કામ લોલમલોલ કર્યું છે.તેવો આક્ષેપ આપ આગેવાનો દ્રારા કરવામાં આવ્યો છે.વધુમાં જણાવ્યું છેકે જે થોડા વરસાદમાં પણ ધોવાણ થઇ ગયું છે.આ તમામ મુદ્દાઓ વીડિયો મારફત દેખાડ્યું છે. આ બાબતે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી છે કે આ પુલ પર કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે આ પુલ પર વહાન વ્યવહાર બંધ કરવામાં આવે અને આ પુલ તોડી નવો પુલ બનાવે એવી માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પુલની યોગ્ય રીતે તપાસ થાય અને સાથે સાથે આ કોન્ટ્રાકટર વીરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાકટર ને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો સ્થાનિક લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.






Latest News