માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવમહિમા વ્યાખ્યાનનું આયોજન


SHARE











મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવમહિમા વ્યાખ્યાનનું આયોજન

મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. બી.કે. લહેરુની પ્રેરણાથી શ્રાવણ માસના પાવન અવસરે શિવત્વના અધ્યયન માટે ઓળખાતા ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠકના શિવમહિમા વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમ સોમવાર ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાંજના ૪ થી ૭ વાગ્યા દરમ્યાન મહાવીર સોસાયટી, નવા બસસ્ટેશન સામેના જાહેર પ્લોટમાં યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ર્ડો. ભાવેશ જેતપરિયા કરશે.

ધર્મ, શિવત્વ અને આધ્યાત્મિક ઊંડાણના વિષયો ઉપર પોતાની આગવી સંગીતમયી શૈલીમાં વ્યાખ્યાન આપતા અને શિવત્વના અધ્યયન માટે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠકના પ્રવચનથી શ્રાવણ માસની શોભા વધારવા માટે મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સિનિયર સિટીઝન ફાઉન્ડેશન- મોરબીના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, મહામંત્રી મહેશભાઈ બી.ભટ્ટ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા, કાર્યક્રમના પ્રેરક નરેન્દ્રભાઈ મહેતાએ સત્સંગી ભાવિકો તેમજ શહેરના તમામ વડીલ નાગરિકો અને ધાર્મિક રસ ધરાવતા લોકોને વ્યાખ્યાનમાં આવવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે.




Latest News