મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામ પાસે કારખાને પાર્સલ આપવા ગયેલા કુરિયર વાળાને કારખાનેદારે ઝાપટો મારીને આપી મારી નાખવાની ધમકી


SHARE













ટંકારાના વીરપર ગામ પાસે કારખાને પાર્સલ આપવા ગયેલા કુરિયર વાળાને કારખાનેદારે ઝાપટો મારીને આપી મારી નાખવાની ધમકી

ટંકારાના વીરપર ગામની સીમમાં આવેલ કારખાને કુરિયર આપવા માટે ગયા હતા ત્યારે ઓફિસ બંધ હોવાથી ઓફિસ પાસે પાર્સલ મૂકીને કુરિયર વાળા જતા રહ્યા હતા જે બાબતનો ખારાખીને કારખાનેદાર દ્વારા કુરિયર આપવા આવેલ યુવાને સહિત બે વ્યક્તિઓને ગાળો આપવામાં આવી હતી અને ઝાપટો મારવામાં આવી હતી તેમજ હવે પછી ભૂલ કરશો તો જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદાર સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ સુરતમાં રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 405 માં રહેતા શ્રીકાંતભાઈ વાસુદેવભાઈ વૈષ્ણવ (46)હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શ્રેયા ઘડિયાળના કારખાનાના માલિક રાકેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વીરપર ગામની સીમમાં ટંકારા-મોરબી રોડ ઉપર આવેલ મહેન્દ્રાના શોરૂમની પાછળના ભાગમાં શ્રેયા ઘડિયાળનું કારખાનું આવેલ છે અને ત્યાં ફરિયાદી તથા સાહેઆરોપીના કારખાને કુરિયર પાર્સલની ડીલેવરી લેવા દેવા માટે આવતા જતા હોય છે દરમિયાન ફરિયાદી અને સાહેને આરોપીએ કહ્યું હતું કે પરમ દિવસે તમો પાર્સલ કેમ ઓફિસની બહાર મૂકીને જતા રહ્યા હતા જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તમોને પાર્સલ તો મળી ગયેલ છે ને તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી તથા સાહેને ગાળો આપીને ઝાપટો મારી હતી જેથી કરીને ફરિયાદીને કાનના ભાગે ઇજા થયેલ છે અને સાહેને મુંઢ ઇજા થઈ હતી અને આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે, “હવે પછી ભૂલ કરશો તો જીવતા નહીં જવા દઉં” જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News