મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના 48 વહીવટી અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે


SHARE











મોરબી જીલ્લાના 48 વહીવટી અધિકારીઓ પહોંચ્યા ગામડાઓની આકસ્મિક મુલાકાતે

મોરબી જિલ્લામાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુથી શુક્રવારે કલેક્ટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે જિલ્લાના 48 ઉચ્ચ અધિકારીઓ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા.

નાગરિકલક્ષી અભિગમ અને છેવાડાના જન-જન સુધી સરકારી યોજનાઓ અને સુવિધાઓની સુલભતા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને કટિબધ્ધ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રના 48 અઘિકારીઓ સવાર થતા જ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સરકારી સેવાઓ અને પ્રાથમિક સુવિધાઓ બાબતે સાચી સ્થિતિની સમીક્ષા કરવા ગામડાઓમાં પહોંચ્યા હતા આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના 13, વાંકાનેર તાલુકાના 13, હળવદ તાલુકાના 9, ટંકારા તાલુકાના 6 અને માળિયા તાલુકાના 8 મળી જિલ્લાના કુલ 48 ગામડાઓમાં વહીવટી તંત્રના વર્ગ 1 અને વર્ગ 2 ના ઉચ્ચ અધિકારીઓએ વિવિધલક્ષી તપાસ હાથ ધરી હતી.

આરોગ્ય કેન્દ્રોની મુલાકાત કરી આકસ્મિક તપાસની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય સ્ટાફની હાજરી દવાના જથ્થાની ઉપલબ્ધતા વગેરેની તપાસ કરવામાં આવી હતી. પશુ દવાખાનામાં પણ પશુ ડોક્ટરની હાજરી, આંગણવાડીમાં સ્ટાફની હાજરી બાળકોની નિયમિતતા તથા બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા/ ભોજનનું નિરીક્ષણ, પંચાયતમાં તલાટી/ ગ્રામ સેવક વગેરેની હાજરી અને કામગીરી અને વિવિધ યોજનાઓની અમલવારી, સરકારી શાળાઓમાં શિક્ષકોની નિયમિતતા અને બાળકોની હાજરી તથા મધ્યાહન ભોજન યોજનાની યોગ્ય અમલવારી, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં સમયસર અનાજ મળે છે કે કેમ તે બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત ગામડાઓમાં મુલાકાત દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધા અને પડતી મુશ્કેલીઓ, વિધવા પેન્શન સહિતની યોજનાઓની અમલવારી, ગૌશાળાઓમાં ગૌવંશના નિભાવ અંગેની વ્યવસ્થા તથા સાફ-સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ તથા તેને સંલગ્ન ગૌમાતા પોષણ યોજનાની અમલવારી, મોડલ ફાર્મની મુલાકાત સહિતની બાબતોનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.






Latest News