ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત


SHARE











અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત

મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે એક અનોખો ઇતિહાસ રચીને આજીવન સમરસ એટલે કે સ્વરાજથી આજ દિવસ સુધી ગામમાં ક્યારેય ચૂંટણી થયેલ નથી માત્ર સિલેક્શનથી સરપર ચૂંટાય છે તે આ લક્ષ્મીવાસ ગામની વિશિષ્ટ સિદ્ધિ છે.

સમસ્ત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી લક્ષ્મી માતાજીની વ્યાખ્યામાં આવીને અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે અને આખી પંચાયતની બોડી બનાવેલ છે સભ્ય તરીકે વોર્ડનં.૧ હંસાબેન શાંતિલાલ સંઘાણી વોર્ડનં.૨ અનસોયાબેન  નારણભાઈ અગોલા વોર્ડનં.૩ લતાબેન રમણીકભાઈ કાવર  વોર્ડનં. ગીતાબેન અશોકભાઈ કાવર  વોર્ડનં.૫ વિજયાબેન નરભેરામભાઈ કાવર વોર્ડનં.૬ મંજુલાબેન મનસુખભાઇ સંઘાણી વોર્ડનં.૭ ચંપાબેન સુરેશભાઈ ગઢીયાની આખી સ્ત્રી બોડીની વરણી કરવામાં આવેલ છે.

 અગાઉ પણ ૫વર્ષ પહેલાં પણ સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવન કાવર હતા ત્યારે પણ આખી બોડી મહિલા બનાવેલ હતી આજે પણ મહિલા બોડી બનાવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે અગાઉ જ્યારે લાભુબેન પ્રાણજીવન કાવર સરપંચ હતા ત્યારે તેમને ગામમાં સારા કામો કરીને ગામને એવોર્ડ પણ મેળવેલ હતા તેમાં (૧)આદર્શ ગામનો એવોર્ડ (૨) શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ (૩) નિર્મળ ગ્રામનો એવોર્ડ મેળવેલ હતો આ એવોર્ડ જે તે વખતના રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલના હસ્તે ચંદીગઢ ખાતે મેળવેલ હતો હવે જ્યારે ફરીથી સરપંચ તરીકે આવતા તેઓ જણાવે છે કે ગામમાં વિકાસના અધુરા કામો તેઓ ગામની જરૂરિયાત મુજબના જે તે કામ સરકારની ગ્રાન્ટમાંથી પુરા કરાવશે તેવી તેઓ લક્ષ્મીવાસને હૈયા ધારણ આપી છે અને ગામની જે એકતા અને અખંડિતતાને તે કાયમ માટે જાળવી રાખશે






Latest News