હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત


SHARE











મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનાની પાછળ વરસાદી પાણીના નાળામાં ડૂબી જવાથી બે વર્ષના બાળકનું મોત નિપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા નજીક આવેલા અશ્વમેઘ હોટલની પાછળ આવેલ ઓએસીસ સિરામિકના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો લકી મનકરભાઈ વસોનીયા નામનો બે વર્ષનો બાળક કારખાનાની પાછળ આવેલા વરસાદી પાણીના નાલામાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો.જેથી તેનું મોત થયેલ હોય ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યું હતું.આ બનાવ અંગે એડી દાખલ કરીને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળીયા હાઇવે અશ્વમેઘ હોટલ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કેતનભાઇ કાનજીભાઈ અઘેરા (ઉંમર ૫૦) રહે.સુરત ને ઇજા થતા અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના ફાટસર ગામે રહેતા સામતભાઈ રમેશભાઈ નાયક નામના ૩૦ વર્ષના યુવાનને અને માળિયાના જૂના ઘાંટીલા ગામે સુમિત રવજીભાઈ અગેચાણીયા નામના સાત વર્ષના બાળકને સાપ કરડી ગયેલ હોય સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં
હળવદના દીઘડીયા ગામે રહેતા ગૌરીબેન વાલજીભાઈ પરાડિયા નામના ૩૧ વર્ષીય મહિલા ગામમાં આવેલ ઘનશ્યામ વિદ્યામંદિર પાસેથી જતા હતા ત્યાં રિક્ષાના વ્હીલમાં સાડી ફસાઈ જતા નીચે પડી ગયા હોય ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે વજેપર પ્રાથમિક શાળા પાસે રહેતા હાર્દિક રામજીભાઈ પરમાર નામના ૧૯ વર્ષના યુવાનને શનાળા રોડ બુટાની વાડી નજીક બાઇકમાંથી પડી જવાના બનાવમાં ઈજા પામેલા હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.તેમજ વાંકાનેરના વાંકિયા ગામે રહેતા આસીબેન ઈબ્રાહીમભાઇ માથકીયા નામના ૬૪ વર્ષીય વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે પડી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબી જીઆઇડીસી ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં રહેતા ક્રિશાંત ધર્મેન્દ્રભાઈ મહેતા નામનો ૧૪ વર્ષના બાળક બાઈક પાછળ બેસીને જતો હતો ત્યારે નવા બસ સ્ટેશન પાસે પડી જતા ઈજા પામતા સારવારમાં અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.તેમજ બાદનપર (અમરાપર) ના રહેવાસી ધનીબેન નિલેશભાઈ કણજારિયા નામની ૨૫ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને વાવડી ગામે ભાઈના ઘર બાજુ જતા હતા ત્યારે બગથળા નજીક વાહન અકસ્માતમાં ઇજા પામતા સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી સર્કિટ હાઉસ પાસે થયેલ મારામારીમાં ઈજા થતાં શિવમ ઘનશ્યામભાઈ પટેલ (૨૯) રહે.કર્મયોગી સોસાયટી અલાપ રોડ મોરબી ને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News