મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા


SHARE













મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા

મોરબીમાં ચેક મુજબની રકમ આરોપી દ્વારા કોર્ટમાં જમા કરાવવા છતા આરોપીને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને બમણી રકમનું વળતર અપાવનો સિમાચિહનરૂપ હુકમ મોરબીની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપવામાં આવેલ છે તે કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના ફરીયાદી દિનેશચંદ્ર વાડીલાલ વડોદરીયાએ, આરોપી મોરબીના વતની રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાને વર્ષ ૨૦૧૫ માં, હાથ ઉછીની ૧૦ લાખ રૂપિયા આપેલ હતા. આ રકમમાંથી ૯.૬૦ લાખ પાછા આપવા માટે રોહિતભાઈ ઝાલાવાડીયાએ એક ચેક ફરીયાદીને આપેલ હતો જો કે, તે ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ આરોપી રોહિતભાઈને નોટીસ આપી હતી અને આરોપીએ ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા મોરબી કોર્ટમાં ફોજદારી કેસ નાં. ૧૫૯૫/૨૦૨૧ થી દાખલ કરવામાં આવેલ હતો અને તે કેસ ચાલી જતા જજમેન્ટના તબકકે, આરોપી રોહિતભાઈએ, ચેકની બાકી નિકળતી રકમ ૯.૬૦ લાખ કોર્ટમાં જમા કરાવ્યા હતા જેની સામે ફરીયાદી દિનેશચંદ્ર વાડીલાલ વડોદરીયાના વકીલ ચિરાગ ડી.કારીઆએ સુપ્રિમ અને હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરેલ હતી કે, ચેકના નાણા કેસ દાખલ કર્યાના ચાર વર્ષ બાદ જજમેન્ટના તબકકે કોર્ટમાં જમા કરાવવાથી, ફરીયાદ ડીસમીસ થતી નથી કે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી શકાતા નથી, પરંતુ આરોપીને સજા કરવી જોઈએ તેમજ ફરીયાદીને થયેલ નાણાકીય નુકશાનનું યોગ્ય વળતર મળવું જોઈએ તેવી દલીલો કરી હતી. જેથી ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યમલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સી.વાય.જાડેજા મેડમે આરોપી રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનું વળતર ૧૯.૨૦ લાખ ફરીયાદીને ચૂકવી આપવાનો અતિ મહત્વનો ચુકાદો આપેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે.કારીયા રોકાયેલ હતા.






Latest News