મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ગંભીરાની અસર: મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવર-જવર માટે બંધ કરાયા


SHARE













ગંભીરાની અસર: મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવર-જવર માટે બંધ કરાયા

તાજેતરમાં વડોદરા અને આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી પડ્યો હતો અને જેથી કરીને અકસ્માત બન્યો અને તેમાં 18 જેટલા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાં આવેલા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવા માટે કલેકટર દ્વારા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા જે જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી માળીયા થઈને પીપળીયા તરફ જવા માટે જે રસ્તો છે તે રસ્તામાં મચ્છુ નદી ઉપર મેજર બ્રિજ આવેલો છે તે બ્રિજ ફાઇનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી માળિયાથી પીપળીયા તરફ જવા ભારે વાહનોનો પ્રવેશ બંધ કરીને તેના માટે પ્રતિબંધ મૂકતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને માળિયાથી પીપળીયા થઈને જામનગર તરફ આવવા જવા માટેના જે વાહનો પસાર થતા હતા તેને હવે માળિયાથી મોરબી ટંકારા આમરણ ધ્રોલ લતીપર વાળા રસ્તા ઉપર થઈને જામનગર તરફ આવવા જવાનું રહેશે. આવી જ રીતે જામનગર કે રાજકોટ તરફથી કચ્છ તરફ જતા ભારે વાહનોને આ રસ્તા ઉપરથી આવવા જવાનું રહેશે.

આ ઉપરાંત વાંકાનેર કુવાડવા રોડ ઉપર જે મેજર બ્રિજ આવેલ છે તે પણ ભારે વાહનો માટે થઈને હાલમાં બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તા તરીકે રાજકોટ તરફ આવતા અને જતાં વાહનો માટે બ્રિજની ડાઉન સ્ટ્રીમમાં એક ડાયવર્ઝન પરથી વાહનોની અવર-જવર થઈ શકે તે પ્રકારે વૈકલ્પિક રસ્તો કરવામાં આવેલ છે અને ધાંગધ્રા-કૂડા-ટીકર રોડ ઉપર જે મેજર બ્રીજ આવેલો છે તે બ્રિજને પણ ભારે વાહનો માટે થઈને બંધ કરવામાં આવ્યો છે અને આ બ્રિજેના રીપેરીંગ કામ અને સ્લેબ રિકાસ્ટિંગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આમ મોરબી જિલ્લાના જુદા જુદા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.






Latest News