મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો


SHARE













મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો

ગુજરાત સરકાર અને GVK EMRI દ્રારા ચાલતી ૧૦ ગ્રામ દીઠ એક પશુયોજના મોરબી જિલ્લાના પાનેલી ગામે એક ગાયને પ્રસુતીની પીડા હતી ત્યારે તેના માલિક કાળુભાઇ કલોત્રા દ્રારા ૧૯૬૨ માં કોલ કરીને લાલપર એમવીડીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેથી ૧૯૬૨ નો સ્ટાફે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ટીમ દ્રારા ગાયની પ્રસુતી કરવા મેહનત કરવામાં આવી હતી પરંતુ ગાયના ગર્ભમાં રહેલ વાછડી મુર્ત્યું પામી હતી અને તે સંજોગમાં ગાયનું  સિજરીયન  કરવું જરૂરી જણાયું હતું અને અંતે લગભગ ૪ કલાક ઓપેરશન કરીને ભારે જેહમત બાદ ગાયનો જીવ બચાવમાં આવ્યો હતો.૧૦ ગ્રામ દીઠ એક પશુ યોજનામાં કામ કરતા ડો.તાલિબ હુસેન, ડો.વિપુલ કાનાણી અને પાયલોટ રજનીશ સોલંકી, પાયલોટ જયદીપ જલુ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 






Latest News