હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ધણાંદ ગામે ખેતરમાં પાઇપ-મોટરને નુકશાન કરીને ખેડુત અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











હળવદના ધણાંદ ગામે ખેતરમાં પાઇપ-મોટરને નુકશાન કરીને ખેડુત અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાનાં ધણાંદ ગામે રહેતા ખેડુતના ખેતરે આવીને તેની ટપક પદ્ધતિની પાઈપ તેમજ વિજ મોટર અને અન્ય સાધન સામગ્રીમાં તોડફોડ કરીને કુલ ૨૦ હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવેલ તેમજ ખેડૂત તથા તેના બાપુજીને જાનથી મારી નાંખવાની એક શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા ખેડૂત દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને ધણાંદ ગામે ખેતીની જમીન ધરાવતા ધર્મેશભાઈ પ્રેમજીભાઈ વામજા જાતે પટેલ (૨૯) ના ખેતરે પડેલ ટપક પદ્ધતિ માટેની પાઈપ લાઈન તેમજ વીજ મોટર અને પાવર એમ્પીયરમાં તોડફોડ કરીને મનસુખભાઈ જાદુભાઈ કોળી રહે. ધણાંદ ગામ વાળાએ ૨૦,૦૦૦ રૂપિયાની નુકશાની કરેલ છે આટલું નહિ ધર્મેશભાઈ અને તેમના પિતા પ્રેમજીભાઈને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને તેની સામે ધારીયુ ઉગામ્યુ હતું જેથી કરીને ભોગ બનેલા ધર્મેશભાઇએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ જાદુભાઈ કોળી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારામાં આવતા નાના ખીજડીયા ગામના વતની દિનેશભાઈ લવજીભાઇ ગોધાણી નામના ૫૫ વર્ષીય આધેડ કારમાં જતા હતા ત્યારે ગઇકાલે તા.૨૪-૬ ના રંઘોળા તાલુકો સિહોર જી.ભાવનગર નજીક તેમની કાર અન્ય કાર સાથે અથડાતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઇ ગોધાણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની હોસ્પિટલ સૂત્રો દ્રારા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે આગળની તપાસ શરૂ કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News