મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં જુગાર રમતા ચારની ધરપકડ 


SHARE















મોરબીમાં જુગાર રમતા ચારની ધરપકડ 
 
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના જુદા જુદા બે સ્થળોએ રેડ કરી હતી અને ત્યાંથી જુગાર રમતા ચાર લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. 
 
મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરના સામાકાંઠે યોગીનગર પાછળના ખુલ્લા ગ્રાઉન્ડમાં મંદિરની પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી મળેલ બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી. જેથી સ્થળ ઉપરથી જાહેરમાં જુગાર રમી રહેલા રાજેશ લક્ષ્મણ સનુરા કોળી (૫૦) રહે.ત્રાજપર ખારી ધાર વિસ્તાર, રામસંગ મોહનસંગ બારૈયા કોળ (૪૨) રહે.ત્રાજપર ચોરા વાળી શેરી અને કિશોર લધુ કુંવરીયા કોળી (૪૦) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા વાળાઓની સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૨૮૪૦ સાથે ધરપકડ કરીને તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધાયો હતો જેની તપાસ હેડ કોન્સ્ટેબલ એન.એમ.ગોસ્વામી ચલાવી રહ્યા છે.
 
જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટાફના ભગીરથ લોખીલે શહેરના સામાકાંઠે આવેલ ભડીયાદ રોડ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી નીકળેલા અફઝલ અકબર સમા જાતે સિપાઇ (૨૪) ધંધો મજૂરી રહે.સોઓરડી મોરબી-૨ વાળાને અટકાવ્યો હતો. તે આવતા જતા લોકો પાસેથી વરલી જુગાર અંગેના આંકડા લખતો હતો અને નસીબ આધારિત જુગાર રમતો અને રમાડતો હોય પોલીસે રોકડા રૂપિયા ૮,૬૦૦ વરલી જુગારના આંકડા લખેલી ચિઠ્ઠી અને બોલપેન સાથે અફઝલ અકબર સમા નામના ઇસમની ધરપકડ કરીને જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે તેની તપાસ પણ હેડ કોન્સ્ટેબલ એન.એમ.ગોસ્વામી ચલાવી રહ્યા છે.
 
મારામારીમાં બે ને ઈજા
 
મોરબીના શનાળા રોડ સરદારબાગ નજીક રહેતા અને કલરકામનો ધંધો કરતા પુષ્પેન્દ્રસિંહ બરમુરસિંગ રાજાવત (૨૫) અને તેની સાથે રહેલા જગદીશ રામગોપાલ (૫૦) નામના બે મજૂર શહેરના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ મિલેનિયમ સીરામીક પાસે સાથી કર્મચારીઓ સાથે બોલાચાલી થયા બાદ ઝપાઝપી દરમિયાન ઇજાઓ થતાં બંનેને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News