મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE













હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટી પાછળ વાડીની ઓરડીમાં ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં ગોરી દરવાજા પાસે વાલાજી મંદિર નજીક રહેતા સનીભાઈ ભગવાનજીભાઈ ધા.પરમાર (25) નામના યુવાનને હળવદના સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટીની પાછળના ભાગમાં આવેલ તેઓની વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને ભગવાનજીભાઈ ભીખાભાઈ ધા.પરમાર (65) રહે. હળવદ વાળા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તેઓએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા રફીકાબેન ગુલામભાઈ ભટ્ટી (44) નામના મહિલાને અવેસભાઈ, હશનભાઈ અને હલીમાબેનને ઝઘડો કરીને ઈંટ પથ્થર વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતા પૂજાબેન હંસરાજભાઈ કંઝારીયા (૨૫) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં

ભાવપરના રહેવાસી રોહિતભાઈ રામજીભાઈ કટારા (17) નામના યુવાનને સાપ કરડી જવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News