મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા


SHARE













માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા

માળીયા (મી) ના જૂના માણાબા ગામે રહેતા યુવાનની પત્ની અને દીકરો તેના કૌટુંબિક ભાઈ ભાભી સાથે રિક્ષામાં હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનની પત્નીને માથા અને  કપાળમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને રીક્ષા ચાલક, રિક્ષા ચોકના પત્ની અને યુવાનના દીકરાને ઇજા થયેલ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના જુના માણાબા ગામે રહેતા લલિતભાઈ વલ્લભદાસ નિમાવત (41)ર હાલમાં સીએનજી રીક્ષા નં. જીજે 36 ડબલ્યુ 2309 ના ચાલક અજયભાઈ હરજીવનદાસ નિમાવત રહે. જુના મણાબા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, જૂના માણાબા ગામથી તેઓના કૌટુંબિક ભાઈ અજયભાઈ નિમાવતની રીક્ષામાં અજયભાઈના પત્ની સાક્ષીબેન તથા ફરિયાદીના પત્ની પદ્માબેન અને ફરિયાદીનો દીકરો ઉત્તમ હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં આવેલ ખાડામાં રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પત્ની પદ્માબેનને માથાની પાછળના ભાગમાં અને કપાળે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીના દીકરાને ડાબા પગના પંજામાં ઈજા થઈ હતી અને રીક્ષા ચાલક તથા તેના પત્નીને પણ ખભાના ભાગે ફ્રેકચર જેવી ઇજા થયેલ છે જેથી કરીને તે ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News