મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડે ઓરડીઓ-દુકાનો સહીત 16 દબાણો તોડી પાડીને 4 કરોડની જમીન ખુલ્લી કરાવતા મામલતદાર


SHARE











મોરબીના જૂના ઘૂટું રોડે ઓરડીઓ-દુકાનો સહીત 16 દબાણો તોડી પાડીને 4 કરોડની જમીન ખુલ્લી કરાવતા મામલતદાર

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર કરવામાં આવેલ દબાણોને દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી જો કે, આસામીઓએ જાતે દબાણ દૂર કર્યા ન હતા જેથી મામલતદાર સહિતની આજે બંદોબસ્ત સાથે ત્યાં પહોચી હતી અને જુદીજુદી ઓરડીઓ અને દુકાન સહીત કુલ 16 કોમર્શીયલ દબાણો તોડીને 4 કરોડની સરકારી જમીનને દબાણ મુક્ત કરેલ છે.

મોરબી ત્રાજપર ચોકડી પાસે જુના ઘૂટું રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી રોડ સાઇડમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે આસામીઓને નોટિસ આપવામાં આવી હતી જો કે, આસામીઓએ જાતે દબાણોને દૂર કર્યા ન હતા જેથી કરીને મંગળવારે જૂના ઘૂટું રોડે દબાણો હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સરકારી ખરાબાની જમીન પર કરવામાં આવેલા બંધકામોને સરકારી બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા ત્યારે મામલતદાર અને તેની ટિમ ત્યાં હાજર રહી હતી અને જે દબાણો હટાવવામાં આવ્યા છે તેમાં જુદીજુદી ઓરડીઓ અને દુકાન સહીત કુલ 16 કોમર્શીયલ દબાણો દુર કરીને અંદાજે 4 કરોડની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે. તેવી માહિતી અધિકારીએ આપેલ છે.






Latest News