મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી


SHARE















હળવદના મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતો હતો અને નોકરી હતો જે યુવાન ગત તા 1 ના રોજ ગુમ થયો હતો અને ત્યાર બાદ તેનો તા 6 ના રોજ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અને કાલે મંગળવારે તે યુવાનના મૃતદેહનું પીએમ કરવામાં આવશે ત્યાર બાદ તેના મૃતદેહને મેરૂપર ગામે લઈ આવવામાં આવશે.

હળવદના મેરૂપર ગામનો જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા (29) નામનો યુવાન છેલ્લા સાતેક વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયામાં હતો અને ત્યારબાદ ત્યાં જ તે નોકરી કરતો હતો અને આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ મહિના બાદ તે યુવાન પોતાના પત્નીને સાથે લઈ ગયો હતો અને બંને સિડનીમાં રહેતા હતા. જો કે, જયદીપસિંહ ડોડીયા ગત તા. 1 જુનના રોજ રાત્રીના નોકરીએ ગયો હતો અને બાદમાં તે પાછો આવેલ ન હતો જેથી તેના પત્નીએ 2 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા ગુમ થયાની ફરિયાદ ત્યાં નોંધાવી હતી. જે અંગેના સમાચાર પણ ત્યાંના મીડીયામાં આવ્યા હતા ત્યારબાદ તા. 6 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં ઘરની બાજુમાંથી નીકળી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી તેના પત્નીને બોલાવીને તેના મૃતદેહની ઓળખ કરાવવામાં આવી હતી. હવે તા 10 ને મંગળવારે જયદીપસિંહ ડોડીયાના મૃતદેહનું પીએમ ત્યાં કરવામાં આવશે ત્યાર બાદ તેના મૃતદેહને હળવદના મેરૂપર ગામે લઈ આવવામાં આવશે અને તેના માટે મૃતક યુવાનના પરિવારજને દુતાવાસ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને જાણ કરી છે અને મૃતદેહને જલ્દીથી વતન લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.






Latest News