મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE











હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવે છે. અને વેપારીએ જાતે પોતાના લમણે ગોળી મારી હોવા અંગેની ચિઠ્ઠી પણ પોલીસને મળી હોવાનો પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.

હળવદમાં રહેતા બકાભાઈ ઠક્કર (60) નામના વેપારી વૃદ્ધે પોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે ગોળી મારી હતી જેથી માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ સુધી લઈ જવામાં આવેલ છે વધુમાં પોલીસ સુત્ર પાસેથી મળતી પ્રમાણે વેપારીએ આપઘાત કરવા માટે તેને પોતે પોતાની જાતે પોતાના લમણે ગોળી મારેલ છે અને તે અંગેની એક ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે અને વેપારી વૃદ્ધે કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.




Latest News