મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદ નજીકથી ત્રીપલ સવારી બાઇક ટ્રેક્ટર સાથે અથડાયું: મોરબીના ત્રણ યુવાનોને ઇજા


SHARE













હળવદ નજીકથી ત્રીપલ સવારી બાઇક ટ્રેક્ટર સાથે અથડાયું: મોરબીના ત્રણ યુવાનોને ઇજા

હળવદ નજીકથી ત્રીપલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇક ટ્રેક્ટર સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મોરબીના ત્રણ યુવાનોને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં રહેતો અનુરાગસિંહ વિજયસિંહ તોમર (22), ભડીયાદ નજીક રહેતો લક્ષ્મણસિંહ મહિપતસિંહ ઝાલા (19) અને સોઓરડીની નજીક રહેતો મયુર અશોકભાઈ સેલાણીયા (20) નામના યુવાનોને અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ નજીકથી આ ત્રણેય યુવાનો બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને ઇજા થયેલ હતી જેથી તે ત્રણેય યુવાનોને સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પીપળીયા ગામે રહેતા જાદવ નવીનભાઈ ગૌતમભાઈ (24) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પરશુરામ બ્રિજ પાસે હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને ઠોકર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

રાતાવિડા ગામ નજીક આવેલ મોઝાર્ટ ગ્રેનાઈટો કારખાનાની લેબર કોલોનીમાં રહેતો રાજેશ મુંડા (5) નામનો બાળક ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને ટક્કર મારતા તે બાળકને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News