મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના કડીયાણા ગામેથી માતા પિતા લોકિકે ગયેલ હોય બે બાળકો તેના દાદા સાથે ખેતરે ગયા હતા અને ત્યાં ખેતરની બાજુમાં આવેલ વોકળામાં બંને બાળક ન્હાવા માટે ગયા હતા ત્યારે તે બંને બાળકના પાણીમાં ડૂબી ગયા હતા જેથી ઘટના સ્થળે જ તે બંનેના મોત નીપજયાં હતા ત્યાર બાદ પાણીમાંથી તેને મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદ તાલુકાનાં કડિયાણા ગામે રહેતા મુન્નાભાઈ રાતડીયાનો 13 વર્ષનો દીકરો આદિત્ય અને મુકેશભાઈ રતાડીયાનો 9 વર્ષનો દીકરો પ્રિન્સ ગામની નજીક ખેતરની બાજુમાં આવેલ વોકળામાં ન્હાવા માટે આજે સવારે ગયા હતા ત્યારે કોઈ કારણોસર તે બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હતા અને ગામના લોકોને બંને બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ તે બાળકોના બોડીને પીએમ માટે હળવદની સરકરી હોસ્પિટલે લઈને આવ્યા હતા.

વધુમાં હળવદ તાલુકાનાં પીઆઇ આર.ટી. વ્યાસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બંને બાળકોના માતા પિતા લોકિકે ગયા હતા જેથી તે બંને બાળક તેના દાદાની સાથે ખેતરે ગયા હતા અને દરમ્યાન બંને બાળકો વોકળામાં ન્હાવા જતા ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે બંને બાળકોના મોત થયેલ છે. હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને નાના એવા ગામમાં એક જ પરિવારના બે માસૂમ બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ હોવાથી રાતડીયા પરિવાર અને કડિયાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






Latest News