મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનમાં GJ 36 AS સિરીઝના સિલેકટેડ નંબર માટે ટેન્ડર પ્રકિયા કરાશે
મોરબીના લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઈ
SHARE








મોરબીના લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઈ
મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- ૨૦૨૫ ની ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે લખધીરનગર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, મોરબીમાં નિયામક આયુષ, ગાંધીનગર તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી સીધા નિદર્શનમાં લખધીરનગર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે યોગ શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં ૧૧ વર્ષથી ૧૬ વર્ષ સુધીના કુલ ૭૦ બાળકોએ ભાગ લીધો હતો. બાળકો યોગ દ્વારા શારીરીક અને માનસિક રીતે તંદુરસ્ત બને તથા આપણી પ્રાચીન યોગ પરંપરાની જાળવણીના હેતુ સાથે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું સંચાલન આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. વિરેન ઢેઢી, મહેશ્વરીબેન દલસાણીયા અને દીલીપભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

