મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં... મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન


SHARE















માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

માળિયા મિયાણાં તાલુકાના મોટા દહીંસરા ગામે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા મોમાઈ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જેમાં યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને તેનો રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ જાડેજા પરિવારના લોકો અને સમસ્ત ગ્રામજનો સહિતના લોકોએ લાભ લીધેલ હતો. અત્રે ઉલેખનીય છે કે, મોટા દહીંસરા ગામે મોમાઈ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન પદે જયદીપ એન્ડ કંપનીના સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવારના જયુભા જાડેજા અને દિલુભા જાડેજા બિરાજ્યા હતા આ કાર્યક્રમમાં કબરાઉં ધામના મહંત ચારણઋષિ સહિતના સંતો-મહંતો તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમાર, બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો, હોદેદારો વિગેરે આવ્યા હતા અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધેલ હતો.






Latest News