મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

હવે પેન્શનર્સએ હયાતીની ખરાઈ માટે તિજોરી કચેરી કે બેંકમાં નહીં જવું પડે પેન્શનર્સના ઘરે જઈ પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી અપાશે


SHARE















હવે પેન્શનર્સએ હયાતીની ખરાઈ માટે તિજોરી કચેરી કે બેંકમાં નહીં જવું પડે પેન્શનર્સના ઘરે જઈ પોસ્ટમેન દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી અપાશે

ઘરે બેઠા જ હયાતીની ખરાઈની સરકારની પહેલ ને આવકારતા પેન્શનરશ્રી  રમેશભાઈ જીવાણી નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ દ્વારા થયેલ એમઓયુથી પેન્શનરોને ફાયદો
 
રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલ કર્મચારીઓ રાજ્યની જુદી જુદી તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય છે આ પેન્શનર્સએ દર વર્ષે મે થી જુલાઈ દરમિયાન હયાતીની ખરાઈ કરવાની હોય છે. ગુજરાત સરકારના નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ દ્વારા થયેલ એમઓયુ મુજબ હવેથી પેન્શનર્સએ હયાતીની ખરાઈ માટે બેંકમાં કે તિજોરી કચેરીએ રૂબરૂ જવું પડશે નહીં. પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા પેન્શનરના ઘરે જઈ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન મારફત જનરેટ કરી આપવામાં આવશે, જે સેવા તદ્દન નિશુલ્ક રહેશે. આ સેવા અંતર્ગત મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતે પેન્શનરશ્રી જીવાણી રમેશ છગનભાઈનું જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન મારફતે પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા રજિસ્ટ્રેશન કરાવી ડેમો આપવામાં આવ્યો હતો.આ બાબતે પેન્શનરશ્રી જીવાણી રમેશભાઈએ જણાવ્યું હતું કે, પેન્શનર્સનું પેન્શન સતત ચાલુ રહે તે માટે તેમણે તિજોરી કચેરી ખાતે અથવા તેમને જે બેંકમાં પેન્શન મળે છે તે બેંક ખાતે પોતાના જીવંત હોવા માટેની ખરાઈ માટે દર વર્ષે માટે જવું પડતું હોય છે. ઉંમર થતાં ઘણા કર્મચારીઓ બેંક કે તિજોરી કચેરી ખાતે જવા સક્ષમ હોતા નથી. જે બાબતને ધ્યાનમાં લઇ સરકારશ્રીએ ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. હું મોરબી જિલ્લા તિજોરી કચેરી ખાતે મારા કામથી આવ્યો હતો, ત્યારે આ ડિજિટલ જીવન પ્રમાણપત્ર અંગેનો ડેમો મને આપવામાં આવ્યો છે, જે અન્વયે એ પ્રમાણપત્રમાં મારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે, જે માટે મારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યો નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ પ્રમાણપત્રની સુવિધા શરૂ થવાના કારણે પોસ્ટમેન હવે નિવૃત્ત પેન્શનર્સના ઘરે જઈને તેમના હયાતીની ખરાઈ કરશે. ઉપરાંત આ સુવિધાનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે તેમણે સૌ પેન્શનર્સને અપીલ કરી હતી.
રાજ્ય સરકારના પેન્શનર્સ તિજોરી કચેરી ખાતેથી પેન્શન લેતા હોય છે. જેના ભાગરૂપે વર્ષમાં એક વખત તેમણે હયાતીની ખરાઈ માટે તેમને બેંક અથવા તિજોરી કચેરી ખાતે જવું ન પડે તે માટે સરકારશ્રી દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. 'સરકાર લોકોના દ્વાર સુધી' એ અભીગમને સાર્થક કરતા પોસ્ટમેન પેન્શનર્સના ઘરે જશે અને અને તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે રજીસ્ટ્રેશન કરી આપશે. આ સેવા અગાઉ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવતી હતી જેના માટે ૭૦ રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકાર દ્વારા હાલ આ સેવા નિશુલ્ક કરવામાં આવી છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના તમામ પેન્શનર્સને અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News