મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

બોગસ ખેડૂત ખાતેદાર કાંડ: માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે બીજાની દીકરીને બોગસ સોગંદનામા-વરસાઈ આંબાથી બનાવી ખેડૂત !, અધિકારીઓના આશીર્વાદ ?


SHARE















બોગસ ખેડૂત ખાતેદાર કાંડ: માળીયા (મી)ના સરવડ ગામે રહેતા વૃદ્ધે બીજાની દીકરીને બોગસ સોગંદનામા-વરસાઈ આંબાથી બનાવી ખેડૂત !, અધિકારીઓના આશીર્વાદ ?

મોરબી જિલ્લામાં અધિકારીઓના આશીર્વાદ કે મીલાપીપણાથી તેના મળતીયાઓ દ્વારા કૌભાંડો કરવામાં આવતા હોય છે.તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં માળીયા (મિ.) ના સરવડ ગામે રહેતા વૃદ્ધે બોગસ સોગંદનામા, બોગસ વરસાઈ આંબો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને તેઓની ખેતીની જમીનમાં પોતાની દીકરી ન હોવા છતાં પણ દીકરી તરીકે દર્શાવીને એક મહિલાને ખેડૂત ખાતેદાર બનાવી હતી જે બાબતે હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખેડૂત તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે ખેડૂતો બનનારા, વારસાઇ આંબાને ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડુત ખાતેદાર બનનાર તમામ, બોગસ વારસાઇ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને પોલીસ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે આઇપીસીની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મિ.) તાલુકાના મેઘપર ગામના રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના સરવડ ગામે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અજયભાઈ વિજયભાઈ ખાંભરા (24) એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે.સરદારનગર સરવડ તાલુકો માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર, વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જે ફરિયાદીમાં જણાવ્યુ છે કે, આરોપી મહેશ પ્રભાશંકર રાવલએ બોગસ સોગંદનામા આધારે બોગસ વારસાઈ આંબો બનાવેલ હતો અને તે બોગસ વારસાઈ આંબા આધારે હંસાબેન નામની મહિલા તેની દીકરી ન હોવા છતાં પણ હંસાબેનને વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તે મહિલા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં બોગસ વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરીને ખેતીની જમીનમાં મહેશભાઇ રાવલે તેના ત્રણ સાચા સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને ખોટી રીતે પોતાની દીકરી બનાવીને વારસદાર બનાવેલ હતી. અને અધિકારીઓ સાથે મિલાપીપણું કરીને બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલેખનીય છેકે, આપી મહેશભાઈ રાવલ સહિતનાઓની સામે જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં જણાવ્યુ છે કે, તત્કાલીન તલાટી મંત્રીએ તા. 1/2/22 ના રોજ બનાવેલ વારસાઇ આંબામાં મહેશભાઈ રાવલની ઉમર 62 વર્ષ અને તેની દીકરી તરીકે જે મહિલા હંસાબેનનું નામ લખવામાં આવ્યું છે તેની ઉમર 58 વર્ષ દર્શાવેલ છે.જેથી બાપ અને દીકરીએનઆઇ ઉમર વચ્ચે માત્ર 4 વર્ષનો તફાવત થાય છે ! જે બાયોલોજીકલી કે પછી કોઈપણ રીતે શક્ય નથી.જેથી સ્પષ્ટપણે સાબીત થાય છે કે હંસાબેન સોંગદનામુ કરનાર મહેશભાઈ રાવલના દીકરી નથી અને સોગંદનામું તથા વારસાઇ આંબો બોગસ બનાવીને હંસાબેન કે જેઓ ખેડુત ખાતેદાર ન હતા તેઓને ખેડુત ખાતેદાર બનાવેલ છે.જેથી સરવડના હાલના તલાટી કમ મંત્રી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસીની કલમ 465, 467, 468, 471, 120 (બી) અને 34 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રો ગતિમાન કરેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના રહેવાસી કે.ડી.પંચાસરા દ્વારા તમામ દસ્તાવેજી પુરાવાઓ  સાથે જિલ્લા કલેક્ટરને બોગસ ખેડૂત ખાતેદાર બન્યા હોવાની અંગેની અરજી કરવામાં આવી હતી.જેથી કલેકટરે હળવદના પ્રાંત અધિકારીને તેની તપાસ સોંપી હતી અને ત્યારબાદ આ અરજીની તપાસ માળીયા(મિ.) તાલુકા મામલતદાર દ્વારા કરવામાં આવતા ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને ખેડૂત ખાતેદાર બનેલ હોવાનો અભિપ્રાય આવેલ હતો.જેથી કલેકટરના આદેશ બાદ હવે તલાટી મંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.જો કે, અરજદારને ઘૂમરે ચડાવવા માટેના પ્રયાસો ચોક્કસ અધિકારીઓ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી કરવામાં આવી રહ્યા હતા.પરંતુ સરકારી રેકર્ડ સાથે ચેડાં અને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા હતા તેની સામેના સાચા આધાર પુરાવા અરજદારે પોતાની જાતે શોધી લાવીને કલેકટર સહિતના અધિકારીઓને આપ્યા હતા અને હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા.ત્યાર બાદ કલેકટર દ્વારા અધિકારીને સરકારવતી ફરિયાદ કરવા માટે આદેશ કર્યો હતો અને અંતે ગુનો નોંધાયો છે.તેથી આ કૌભાંડને કરવામાં અને દબાવવામાં કોણ કોણ સંડોવાયેલ છે તે બાબત પણ પોલિસ તપાસનો વિષય બનશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News