મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-જીલ્લા સેવાસદન પાસે પડેલા સ્ક્રેપ વાહનોની હરરાજી કરીને નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબી તાલુકા-જીલ્લા સેવાસદન પાસે પડેલા સ્ક્રેપ વાહનોની હરરાજી કરીને નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા તથા જીલ્લા સેવાસદનમાં સ્ક્રેપ વાહનો છેલ્લા ઘણા સમયથી પડેલ છે જો કે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી જેથી મોરબીના જાગૃત નાગરિક દ્વારા આ બાબતે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને જે સરકારી વાહનો હાલમાં ભંગાર હાલતમાં પડ્યા છે તેની હરરાજી કરીને નિકાલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીકલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદન લાલબાગ ખાતે આશરે આઠ જેટલી જીપ તથા અન્ય વાહનો ભંગાર હાલતમાં પડ્યા છે અને સડી રહ્યા છે અને આ ભંગાર વાહનો ત્યાં પડ્યા હોવાથી તાલુકા તથા જીલ્લામાંથી સેવાસદનમાં આવતા અરજદારોને પોતાના વાહન પાર્ક કરવામાં ઘણી જ તકલીફ પડે છે. માટે તે વાહનોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તે અનિવાર્ય છે અને જે વાહનો સારી કંડીશનમાં છે. તેને ચાલુ કરીને અન્ય ડીપાર્ટમેનને આપી દેવામાં આવે તો સરકારના કરોડો રૂપિયા બચે તેમ છે અને જો વાહન બીજા કોઈ વિભાગને આપવા ન હોય તો વાહનોની નિયમનુસાર હરરાજી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ન માત્ર મોરબી તાલુકા પરંતુ આખા જીલ્લામાં ભંગાર હાલતમાં સડી રહેલા સરકારી વાહનોની યાદી બનાવીને તેનો નિકાલ હરરાજી કરીને કરવામાં આવે તો જ્ગ્યા ચોખી થશે સાથોસાથ સરકારને આવક પણ થશે.






Latest News