મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં જુદીજુદી ૨૭ જગ્યા ઉપર સ્ટાફની ભરતી કરાશે


SHARE











મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં જુદીજુદી ૨૭ જગ્યા ઉપર સ્ટાફની ભરતી કરાશે

મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રમાં ૧૧ વ્યવસ્થાપક(સંચાલક), ૮ રસોઈયા તથા ૮ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી સંપૂર્ણ વિગતો સાથે મધ્યાહન ભોજન શાખા, મોરબી મામલતદારની કચેરીએ તા ૨૬/૫ સુધીમાં પહોંચે તે રીતે રજૂ કરવાનું રહેશે. આ અરજી અન્વયે જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે મોરબી મામલતદાર કચેરીએ સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, મશાલવાડી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જેપુર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, વિરપરડા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, માનસર પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, નારણકા પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કોયલી પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, કૃષ્ણનગર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, જીવાપર(આ) પ્રાથમિક શાળા ૧ સંચાલક ૧ રસોઈયા અને ૧ મદદનીશ, પીલુડી પ્રાથમિક શાળા ૧ સંચાલક, ગીડચ પ્રાથમિક શાળા ૧ સંચાલક, ઊંટબેટ શામપર પ્રાથમિક શાળા ૧ સંચાલક, મળી ૨૭ કર્મચારીઓની તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવનાર છે. મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી નથી. આ તમામ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉંમર અરજી મોકલવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.




Latest News