મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી


SHARE







ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી

ટંકારા તાલુકાના ડેમ-2 ડેમ નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે થઈને ડેમી-2 ડેમમાંથી આજે નદીમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે વહીવટી કરણોસર સિંચાઈ વિભાગ દ્વારા આજે ડેમમાંથી પાણી છોડવાનું મોકુફ રાખવામાં આવ્યું હોવાનું સિ઼ચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની વ્યવસ્થા મળે તો ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર પોતાના ખેતરમાં કરવામાં આવતું હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકાના ડેમ-2 નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ખેડૂતોને નદી અને ચેકડેમમાંથી પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા આજે તા 15 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ડેમી નદીમાં ડેમી-2 ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વહીવટી કારણોસર ડેમ-2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે તેવું ડેમી-2 ડેમના સેક્શન ઓફિસર નિશીતભાઈ પટેલ પાસેથી જાણવા મળેલ છે






Latest News