મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સેનાના પરાક્રમને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાઇ


SHARE











મોરબી જિલ્લા ભાજપ દ્વારા સેનાના પરાક્રમને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાઇ

ભારતીય સેના દ્વારા આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ દેવામાં આવ્યો છે ત્યારે આજે સેનાના જવાનોનો જુસ્સો વધારવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાની આગેવાની હેઠળ આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી મોરબીના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પહેલગામ ખાતે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેનો ભારતની સેના દ્વારા જડબાતોડ જવાબ દેવામાં આવ્યો છે ત્યારે સેનાના જવાનોનો જુસ્સો વધારવા માટે મોરબીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના નકલંક મંદિરના મહંત દમજી ભગત, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભૂપતભાઇ જારીયા, મોરબી પાલિકાના માજી પ્રમુખ કેતનભાઈ વિલપરા, શહેર ભાજપના માજી પમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, અરવિંદભાઇ બારૈયા, જીજ્ઞેશભાઈ કૈલા, અરવિંદભાઇ વાંસદડિયા, ભરતભાઇ જારીયા તેમજ મોરબી શહેર અને જિલ્લાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાના ચૂંટાયેલા પદાધિકારીઓ, ચેરમેનો અને સભ્યો વિગેરે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દેશને જ્યારે જરૂર પડે ત્યારે યુદ્ધના મોરચે જવા માટે પણ મોરબી ભાજપ પરિવારના લોકોએ તૈયારી દર્શાવી હતી.






Latest News