મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા


SHARE















માળીયા (મી) નજીકથી જુદીજુદી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 21 અબોલજીવને બચાવ્યા

માળીયા નજીક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી જે બંને ગાડીમાંથી કુલ મળીને 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા તેને બચાવી લેવામાં આવેલ છે અને કુલ મળીને ચાર શખ્સો સહિતનો મુદામાલ પોલીસને સોંપીને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,  અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત રાજ્યના હોદેદારોને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી જુદીજુદી બે બોલેરો ગાડીમાં અબોલજીવને ભરીને કતલખાને લઈ જઈ રહ્યા છે અને માળીયા  થઈને પીપળીયા ચાર રસ્તા બાજુ તે વાહનો જવાના છે જેથી કરીને માળીયા નજીક ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી તેવામાં કચ્છ બાજુથી ગાડી નંબર જીજે 12 બીઝેડ 4224 અને બીજી ગાડી નંબર જીજે 12 બીવાય 6313 નીકળી રહી હતી તે બંને ગાડીનો પૂછો કરીને માળીયા નજીક ચાર રસ્તા પાસે ગાડીઓને રોકી હતી અને તેને ચેક કરી હતી ત્યારે એક ગાડીમાંથી ભેંસના 17 પાડા અને બીજી ગાડીમાંથી 4 આમ કુલ મળીને 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા અને અબોલજીવોને વાહનોમાં કચ્છના નખત્રાણા બાજુથી ભરેલા હતા આ તમામ જીવોને હાલમાં માળીયા તાલુકાનાં ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળમાં  મૂકવામાં આવેલ છે. હાલમાં બંને ગાડીના ડ્રાઈવર સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગૌરક્ષક દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉલેખનીય છેકે,અબોલજીવોને કતલખાને જતાં અટકાવવા માટે ગૌરક્ષકો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં માળીયા તાલુકાનાં પીઆઇ તેમજ સ્ટાફ દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે તેવું કમલેશભાઈ બોરિચાએ જણાવ્યુ હતું અને આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ મોરબી, રાજકોટ, વિરમગામ, કચ્છ, લીમડી અને ચોટીલાના ગૌરક્ષકભાઈઓનો સહકાર મળ્યો હતો.






Latest News