મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત


SHARE















વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા માટે રોડ ઉપર અમરધામ પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન માટી ખાતામાં કામ કરતા શ્રમિકનો કન્વેયર બેલ્ટમાં હાથ આવી ગયો હતો જેથી તેને બંને હાથ તથા માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટે રોડ ઉપર અમરધામ પાસે આવેલ સનસાઈન સેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ કાળુભાઈ મેડા (19) નામનો યુવાન કારખાનામાં આવેલ માટી ખાતામાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણે અકસ્માતે કન્વેયર બેલ્ટમાં તેનો હાથ આવી ગયો હતો ત્યારબાદ બંને હાથ અને માથાના ભાગે તે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે

બીમારી સબબ મોત

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ બીએસ પોલીપેક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા છોટુભાઈ કમલસિંહ કુશવાહ (22) નામના યુવાનનું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી સારવારમાં

મોરબી તાલુકાના લાલપર ગામે ઘર પાસે પુષ્ટિ આનંદીલાલ ખરડિયા (20) નામની યુવતીના માથા ઉપર દરવાજો પડ્યો હતો. જેથી તેને માથામાં ઇજા થહોવાથી પ્રાથમિક સારવાર મોરબી સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News