મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો
SHARE








મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો
મોરબીમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ધો.8 ની 48 બાળાઓનો દિક્ષાંત સમારોહ, વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ધો.3 થી 8 ની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ધોરણ આઠની વિદ્યાર્થીનીઓએ સુંદર નાટક રજૂ કર્યું હતું જેમાં દરેક શિક્ષકો અને આચાર્ય કેવી રીતે ભણાવે છે? તે રજૂ કર્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે આપ સૌ આગળ અભ્યાસ કરજો, ખુબજ મહેનત કરી, હોશિયાર બની શાળાનું અને આપના પરિવારનું નામ રોશન કરજો. અને ત્યાર બાદ ધો.8 ની તમામ બાળાઓએ શાળાના પ્રિન્સિપાલના અગુઠાનું નિશાન અને તેની ફરતે તમામ શિક્ષકોના અગુઠા અને અંતમાં તમામ દીકરીઓએ અંગુઠાની છાપ સાથેની છબી શાળાને ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી,

